|
સુરેન્દ્રનગર થી પાંચેક કિલોમીટર દૂધરેજ નામનુ ગામ આવેલું છે.
આ દૂધરેજ ગામમાં શ્રીમદ્ શંકરાચાર્યની પરંપરામાં ૨૧ માં શિષ્ય શ્રી
નીલકંઠસ્વામીની પ્રેરણાથી અને તેઓશ્રીના શુભ આશીર્વાદથી શ્રીરામીય
વૈષ્ણુના ધર્મધામ સમુ શ્રી વટપતિ (વડવાળા દેવ) ભગવાનનું આશ્રમ સ્થાન
આવેલું છે. તેમના આરાધ્યદેવ અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્રજી
છે અને તે શ્રી વટપતિ કે "વડવાળા" નામે સમગ્ર ગુજરાતમાં તેમજ
ગુજરાત બહાર જાણીતા છે. |